Friday, 14 September 2012

ગુજરાતની આજની 12 તસવીરો ન જોઈ તો શું જોયું !!!



મગરોનું સૂર્ય સ્નાન : સોરઠમાં અઠવાડીયા દરમ્યાન સારો વરસાદ પડી ગયો હોવા છતાં વિસાવદરનો આંબાજળ ડેમ હજુ પણ ખાલી ખમ્મ છે. જોકે ડેમમાં બેથી ત્રણ મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા હોય તેમાં નિવાસ કરતી મગરો બપોરનાં સમયે બહાર આવીને કાંઠે આરામ કરતી સુર્ય સ્નાનની મોજ માણતી જોવા મળી રહી છે. - તસવીર : વિપુલ લાલાણી


ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગમાં સોમવારના રોજ સાંબેલાધાર વરસાદથી લોકમાતાઓ ગાંડીતૂર બની વહેવા માંડી હતી. જયારે અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તારના ડુબાઉ નાળા પર ધસમસતા નદીમાં પૂર ફરી વળતા અનેક ગામો સંપર્કવિહોણા બન્યા હતા. સાપુતારાના ઘાટ માર્ગ પર ઠેર ઠેર ભેખડો અને વૃક્ષો ધરાશાયી થતા રાત્રે બેથી સવારના આઠ વાગ્યા સુધી વાહનવ્યવહાર ઠપ થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે છલકાઈ ગયેલો ચેકડેમ તથા નદીના ધસમસતા વહેણ. તસવીર પાંડુ ચૌધરી


વૃક્ષ ધરાશાયી થતા વાહનવ્યવહાર ખોરવાયો: અમલસાડ-અબ્રામા કોસ્ટલ હાઈવે ઉપર ગતરોજ રાત્રિના સમયે ન્યુ હેવન ફેક્ટરી નજીક એક બાવળનું વૃક્ષ ધરાશાયી થયું હતું. રાત્રિના સમયે ૧૦ કલાકે આ વૃક્ષ ધરાશાયી થતા કોસ્ટલ હાઈવે ઉપરનો વાહનવ્યવહાર પણ બંધ થયો હતો. વાહનચાલકોએ અંદાજિત ૧૦ કિ.મી.નો ચકરાવો કાપી વાયા કોથા ગામ થઈ પસાર થવું પડયું હતું. આ ઘટનાની તંત્રને મંગળવારના રોજ સવારે જાણ કરાતા તંત્ર દ્વારા જેસીબી મશીન થકી ૯.૩૦ કલાકે વૃક્ષને ઘટનાસ્થળેથી હટાવવા આવ્યું હતું.


મંગલમહુડીનું નાળામાં પાણી ભરાયાં: લીમખેડા નજીક આવેલા મંગલમહુડી ગામે આવેલું ગરનાળું ચોમાસાની આ ઋતુ દરમિયાન ચાર વખત ભરાઇ જતાં દાહોદ-ગોધરા હાઇવે બંધ થઇ ગયો હતો. મંગળવારે પણ પડેલા વરસાદને કારણે ફરી ગરનાળામાં પાણી ભરાઇ જતાં સાંજના સમયે ફરી હાઇવે બંધ થઇ ગયો હતો. પાણી થોડુંક ઓસરતાં મોટાં વાહનો પસાર થતાં હતાં. જ્યારે મોડી સાંજ સુધી નાનાં વાહનોને પાણી ઓસરવાની પ્રતીક્ષા જ કરવી પડી હતી.  

આ કોઇ પૂરગ્રસ્ત વિસ્તાર નહીં, શિણાય ડેમ છે! છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદને કારણે શિણાય ડેમમાં આંખોને ઠંડક આપે તેટલું પાણી ભરાયું છે. થોડા દિવસ પહેલાં જયાં અછત, ઘાસચારો, ઘાસડેપો જેવા શબ્દોને કારણે દુકાળના ડાકલા સંભળાઇ રાા હતા. ત્યારે કુદરતે પણ જાણે કે કરછના લોકોની વાત સાંભળીને જરૂરી વરસાદ મોકલી આપ્યો હોય તેવી રીતે ભાદરવાના ભુસાકા નહીં, પરંતુ આંતરડી ઠારે તેવો મેઘો વરસ્યો છે.

આ કોઇ પૂરગ્રસ્ત વિસ્તાર નહીં, શિણાય ડેમ છે! છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદને કારણે શિણાય ડેમમાં આંખોને ઠંડક આપે તેટલું પાણી ભરાયું છે. થોડા દિવસ પહેલાં જયાં અછત, ઘાસચારો, ઘાસડેપો જેવા શબ્દોને કારણે દુકાળના ડાકલા સંભળાઇ રહ્યા હતા. ત્યારે કુદરતે પણ જાણે કે કચ્છના લોકોની વાત સાંભળીને જરૂરી વરસાદ મોકલી આપ્યો હોય તેવી રીતે ભાદરવાના ભુસાકા નહીં, પરંતુ આંતરડી ઠારે તેવો મેઘો વરસ્યો છે.

ભરચોમાસે બોરડીને આવ્યાં બોર ! માનવીની પ્રકતિ બદલાતી રહે છે. અભી બોલા અભી ફોકની ભાવના કાળા માથાના માનવી માટે સામાન્ય બની ગઇ છે. પરંતુ કુદરતનું ચક્ર કયારે પણ ફરતું નથી. તેમાં પણ ખાસ કરીને પ્રકતિ તેના નિયમિત સમય અનુસાર ખીલે છે અને કરમાય છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ પંથકના ગામડામાં ભરચોમાસે કાંટાળી બોરડીને બોર ઉગતા લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. પ્રકતિના નિયમ અનુસાર શિયાળામાં બોરડીને ખાટામીઠા બોર આવે છે ત્યારે ચોમાસે બોરડીને ફાલ આવી બોર આવવાની વિચિત્ર ઘટના સર્જાઇ છે. માનવીએ પોતાના સ્વાર્થ ખાતર પ્રકતિ સાથે કરેલા ચેડાંથી અનેક સમસ્યાઓ સર્જાઇ છે ત્યારે માનવીના પાપથી સજા જાણે પ્રકતિ ભોગવી રહી હોય તેમ લાગે છે




થાનના રોજેશભાઈ મુળિયાએ રાજ્યમાં ગુટખા નાબૂદી અંગે 10 ટન રેતીનો ઉપયોગ કરી 8 ફૂટ ઊંચુ અને 15 ફૂટ પહોળું રેતીચિત્ર બનાવ્યું હતું. ગુટખા પર પ્રતિબંધનો અમલ મંગળવારથી થઇ ચૂકયો છે ત્યારે પ્રતિબંધના અમલના પ્રથમ દિવસે જ સુરેન્દ્રનગર જિલ્લાની ૧૨૭૫ શાળાઓમાં અભ્યાસ કરતા બે લાખથી વધુ વિદ્યાર્થીઓએ એક જ દિવસે ગુટખા નહીં ખાવાના શપથ લઇને ઝાલાવાડમાં ઇતિહાસ રચ્યો હતો. જિલ્લાની પ્રાથમિક,માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓએ આ શપથ લીધા હતા. ગુજરાતમાંથી ગુટખાના દૈત્યને દેશવટો આપવા માટે હાથ ધરેલા અભિયાન થકી એક સામાજિક ક્રાંતિ સર્જવા માટે યુવાનો કટીબઘ્ધ થયા હતા.


આજવા સરોવરની જળરાશિ છલકાઇ: આ વર્ષે આજવા સરોવર પૂરે પુરું નહીં ભરાય તેવી શક્યતા વચ્ચે પાછોતરા વરસાદે મનમૂકીને વરસી પડતાં આખરે આજવા સરોવરે મંગળવારે ૨૧૨ ફૂટની સપાટી વટાવી દીધી હતી. જેના પગલે આ વર્ષે પ્રથમ વખત ઐતિહાસિક ૬૨ દરવાજા ખોલી નખાયા હતા. ૨૦ સેન્ટીમીટરના ઓવર ફલોથી વહેતી જળરાશિ દરવાજામાંથી છોડવામાં આવી હતી. જોકે, રાત્રે ૧૧.૦૦ કલાકે પાણીની આવક ઘટતાં દરવાજા બંધ કરાયાં હતા. વિશ્વામિત્રીની સપાટી પણ ૯.૩ ફૂટ થયા બાદ રાત્રે ૧૨ કલાકે ઘટી ૮ ફૂટે પહોંચી હતી.


પર્વાધિરાજનો પ્રારંભ: બુધવારથી જૈનોના પર્યૂષણ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. જૈન દહેરાસરમાં પૂજા પાઠ, ઉપાશ્રયોમાં ગુરુ મહારાજો પ્રવચન આપશે. કૈલાશનગર સ્થિત નેમિનાથ ભગવાનના દહેરાસરને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે.

ઝેર તો પીધું જાણી જાણી પણ હવે તો નહીં જ: આ કહેવત તમાકુ-ગુટખાના બંધાણીઓ માટે બંધ બેસે છે કારણ કે સંપૂર્ણપણે સભાનતા હોવા છતાં વ્યસની ગુટખા-તમાકુના ગુલામ બની જતાં હોય છે. આ દૂષણ સામે ચલાવેલ સામાજિક સતર્કતા અભિયાનને જોરદાર પ્રતિસાદ મળ્યો અને સરકારે ૯/૧૧થી ગુટખા પર પ્રતિબંધ મૂકી દીધો. જેના અમલના દિવસે મંગળવારે રાજયભરમાં ગુટખાવિરોધી રેલી નીકળી હતી. અમદાવાદની શાળાની અબોધ તરુણીઓએ પણ ગાલ પર ગુટખાવિરોધી ચિત્રણ કરાવી બંધાણીઓને ગુટખા ત્યજવા શીખામણ આપી હતી.



વાપીના છીરી તથા જીઆઈડીસી વિસ્તારના ગામડામાં ગેરકાયદે ભંગારની પ્રવૃત્તિઓ ફૂલીફાલી છે. છાશવારે ભંગારના ગોડાઉનોમાં આગ લાગતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા ભવિષ્યમાં કોઈ મોટી દુઘટર્ના થવાની શકયતા પણ છે. વાપી કચીગામ માર્ગ પર થોડા દિવસ અગાઉ જ ભંગારના ગોડાઉનમાં લાગેલી આગે રહેણાંક વિસ્તારને પણ ચપેટમાં લીધી હતી. 


No comments:

Post a Comment