Wednesday, 12 September 2012

મારુતિનંદનને સૌભાગ્યની નિશાની સિંદૂર લગાડવાની પાછળ આ રહ્યું કારણ

સૌભાગ્યની નિશાની રૂપે પરિણીત મહિલાઓને પોતાની સેંથીમાં સિંદૂર પૂરવાની પરંપરા છે પરંતુ સિંદૂરનું મહત્વ પૂજાપાઠમાં પણ અનેરું છે. ઘણાં દેવીદેવતાને સિંદૂર અર્પણ કરવામાં આવે છે. ગણપતિ, માતાજી, કાળભૈરવ સિવા. ખાસ કરીને હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવે છે.

મારુતિનંદનનો પૂરો શ્રુંગાર જ સિંદૂરથી કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે દરેક યુગમાં બજરંગ બલિની આરાધના તમામ મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવી છે. હનુમાન શ્રીરામજીના પરમ ભક્ત છે અને કોઈ પણ ભાવિક તેમની પર શ્રદ્ધા રાખે તો તેના તમામ કષ્ટો દૂર કરે છે. જો કે મુખ્ય સવાલ એ છે કે શા માટે બજરંગબલિને સિંદૂર લગાડવામાં આવે છે?

તુલસીદાસ કૃત રામચરિત માનસ પ્રમાણે બજરંગબલિએ માતા સીતાની સેંથીમાં સિંદૂર લગાવતા જોયા, ત્યારે તેમના મનમાં પણ જિજ્ઞાસા ઊઠી કે માતા સેંથીમાં સિંદૂર શા માટે પૂરે છે? આ સવાલ તેમને માતા સીતાને પૂછ્યો. આના જવાબમાં માતા સીતાએ જણાવ્યું કે તેઓ પોતાના પતિ શ્રીરામની લાંબી ઉંમર અને આરોગ્યપૂર્ણ જીવન જીવવાની કામના માટે માંગમાં સિંદૂર લગાવે છે. શાસ્ત્રો પ્રમાણે પરિણીત મહિલા પોતાની માંગમાં સિંદૂર પૂરે છે તો તેના પતિના આયુષ્યમાં વધારો થાય છે અને હમેશાં તંદુરસ્થ રહે છે.

માતા સીતાનો આ જવાબ સાંભળીને બજરંગબલિએ વિચાર્યું કે, જ્યારે થોડા પ્રમાણમાં સિંદૂર લગાવવાથી આટલો મોટો લાભ થાય ત્યારે હું મારા પૂરા શરીર પર સિંદૂર લગાવું તો તેમના સ્વામી શ્રીરામ હમેશાં માટે અમર થઈ જશે. આવો નિર્ણય કરીને તેમને પોતાના આખા શરીર પર સિંદૂર લગાવવાનું શરૂ કર્યું. આ પ્રસંગ પછી બજરંગબલિને સિંદૂર લગાડવાની પરંપરા થઈ ગઈ છે.

No comments:

Post a Comment