Friday, 14 September 2012

હનુમાનજીનું સ્મરણ માત્ર દુઃખો દુર કરે છે...

આજે કોઈ પણ મુશ્કેલી આવે તો સૌ પ્રથમ હનુમાનજીના નામનું સ્મરણ કરવા લાગીએ છીએ- ભૂત-પ્રેતનાં અસ્તિત્વ માટે ચોક્કસ પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે છે. પણ જે વ્યકિત હનુમાનજીનું માત્ર નામ સ્મરણ કરે છે. તેમની સામે એવી અડચણો કે અવરોધો આવતાં નથી
સર્વ સમર્થ, અતુલિત બળવાન ેમજ તેમને માટે કંઇ પણ અસંભવ હતું નહિ. તો પણ વિનમ્ર અને સ્વયંના પ્રભુ શ્રી રામનાં સેવક રૂપે ઓળખ માટે તેમને વઘુ પસંદ કરે છે. રૂદ્રનાં અવતાર છે. તેમની મેઘાવી શક્તિ અને સાહસની કોઈ સીમા નથી. છતાં પણ અહંકારનાં નામ જેવી કોઈ ચીજ તેમનામાં ન હતી. ન તો કોઇ અપ્રાપ્ય વસ્તુ તેમના માટે સંસારમાં હતી નહિ. તેમજ દુર્લભ પણ ન હતી. કોઇ પણ પ્રકારની લાલચ પણ ન હતી. બાળકની સાથે જેમ રમત રમતમાં વિદ્યા શીખવાનું સાધન છે મહાન સંત મહાપુરુષોનાં આરાધ્ય છે. તેમને સંકટ મોચન હોવાના પ્રતિક સાચી રીતે જ ગણવામાં આવ્યા છે. આજે કોઈ પણ મુશ્કેલી આવે તો સૌ પ્રથમ હનુમાનજીના નામનું સ્મરણ કરવા લાગીએ છીએ- ભૂત-પ્રેતનાં અસ્તિત્વ માટે ચોક્કસ પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે છે. પણ જે વ્યકિત હનુમાનજીનું માત્ર નામ સ્મરણ કરે છે. તેમની સામે એવી અડચણો કે અવરોધો આવતાં નથી. તુલસીદાસજી એ હનુમાન ચાલીસીમાં કેટલી સત્ય વાત કહી છે - ‘ભૂત-પિસાચ નિકટ નહંિ આવૈ, મહાવીર જબ નામ સુનાવૈ !’ - સેવાભાવને નિઃસ્વાર્થ કે કેવા પ્રકારે પૂરી કરી શકીએ તે માટે હનુમાનજી સિવાય અન્ય કોઇ ઉદાહરણ હોય ન શકે. તેમનાં વગર બીજો વિકલ્પ પ્રસ્તુત થઇ ન શકે. તેમનાં આવા સદ્‌ગુણોથી જ માત્ર રધુકુળને જ નહિ. પણ સમગ્ર અયોઘ્યાવાસીઓને પોતાનાં ૠણી બનાવ્યા. આ તો હનુમાનજીની કર્મનિષ્ઠા હતી. જે માટે સ્વયં પ્રભુ શ્રીરામને કહેવું પડયું - ‘પ્રતિ ઉપકાર કરૌ કા તોરા !’
સુક્ષ્મ દ્રષ્ટિ, નિપુણતા અને ધૈર્ય જેવાં ગુણોનાં ભંડાર હતા. તેથીસ્તો પ્રભુ શ્રીરામના મહત્વપૂર્ણ કાર્યોની જવાબદારી તેમને જ સોંપવામાં આવી હતી. લંકામાં સીતામાતાની શોધને માટે પ્રભુ શ્રી રામે સ્વયંની મુદ્રિકા તથા ગુપ્ત સંદેશો માત્ર હનુમાનજીને જ કહ્યો હતો. સુષેણ વૈદને અને સંજીવની લાવવાનું કાર્ય, નાગલોકમાંથી અહિરાવણનાં સકંજામાંથી રામ-લક્ષ્મણને સુરક્ષિત છોડાવવા, રાવણ વધનાં સમાચાર સીતાજી અને અયોઘ્યા પરત ફરવાનાં સમાચાર ભરતીને આપવાં જેવા મહત્વપૂર્ણ કાર્ય શ્રી હનુમાનજીને જ સોંપવામાં આવ્યા હતા. આથી જ તમનાં વિરાટ વ્યક્તિત્વની ઝાંખી થાય છે. આ બધાં કાર્યો માટે માત્ર હનુમાનજી દ્વારા જ સિદ્ધ થવાના હતાં. લવકુશને ઓળખવા અને સ્વયંને બંધાય જવું... મેઘનાદ દ્વારા સંધાન કરવામાં આવેલ બ્રહ્માસ્ત્રને માન આપી સ્વયં બંધાવું. જો એમ ન કરે તો બ્રહ્માનાં મહિમાને હાની પહોંચતી હતી. તેનાં મહિમાને ટકાવી રાખવા તેઓ ખૂબ બંધાય ગયા. કેમ કે હનુમાનજીને કોઇ પણ બંધનથી બાંધી શકાતા નથી. તેવું વરદાન પ્રાપ્ત થયેલું હતું.
આથી વઘુ ત્રેતાયુગનાં પછીના યુગ દ્વાપરમાં ભીમ અને અર્જુનને સહાયતા કરી મહાભારતમાં તેમની પરિણતિ સુધી પહોંચવામાં પણ હનુમાનજીનું યોગદાન રહ્યું છે. હનુમાનજીનાં આ યોગદાનને ઓછું આંકી શકાય નહીં. એક તરફ તેમને બળ અને બુદ્ધિનાં સાગર કહેવામાં આવે છે. ત્યારે બીજી તરફ તેઓ સૂરોનાં સાધક અને કલાકાર પણ છે. પૌરાણિક કથાઓમાં તેમને સર્વવિદ્યા વિશારદ કહેવામાં આવ્યા છે. જે ઉપાધી ગૌરી સૂત ગણેશજીને આપવામાં આવી હતી. ઘણાં ઓછાને એ જાણકારી હશે કે હનુમાનજી જયોતિષ વિદ્યાનાં પ્રકાંડ વિદ્વાન રૂપે પણ હતાં. તે ઉપરાંત વેદ વેદાંગ અને તત્વવિદ્યાનાં સંપૂર્ણ જ્ઞાતા હતા. શ્રી તુલસીજીએ તેમને માટે ‘જ્ઞાનિનામાગ્રણ્યમ’ શબ્દ પ્રયોગનું પણ પોતાનું પ્રયોજન કર્યું. હનુમાનજી સાત ચિરંજીવીઓમાં એક છે. જેમને અમર હોવાનું વરદાન મળ્યું છે. લંકા દહન કર્યા પછી જયારે હનુમાનજી સીતામાતા પાસેથી વિદાય લેવા ગયા હતા. ત્યારે તેમના મુખમાંથી શબ્દો નીકળી પડયા હતાં. જે આશીર્વાદ સાબિત થયાં - ‘અજર-અમર ગુન નિધિ સુત હોહૂ કર હુ બહુત રધુનાયક છોહું !’
હનુમાનજી આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું. જેનાં પ્રભાવથી તેઓ વીર, તેજસ્વી, બુદ્ધમાન, જ્ઞાની અને ભગવાન ભક્ત બન્યા. વાલ્મિકી રામાયણનાં કિષ્કિન્ધાકાંડમાં આવે છે - જયારે હનુમાનજીની શ્રીરામ-લક્ષ્મણ સાથે મુલાકાત થઇ. તે સમયે હનુમાનજીની વાતો સાંભળીને પ્રભુ શ્રીરામ અતિશય પ્રસન્નતા અનુભવી ખીલી ઊઠયાં હતાં. લક્ષ્મણજીને કહ્યું, લક્ષ્મણ ! આ વાનરરાજ સુગ્રીવનાં મંત્રી છે. અને તેઓનાં હીતને માટે આપણી સમક્ષ આવી ઉભા છે. વાક્ય રચનાના જાણનારા વ્યાકરણનાં પંડિત પણ છે. કેમકે ઘણી બધી વાતો કરવાં છતાં પણ તેમનાં શબ્દોમાં કોઇ જગ્યાએ અવરોધ કે અશુદ્ધ ઉચ્ચાર થયા નથી. બુદ્ધિશાળી, પંડિત, છંદ અને કાવ્યનાં જ્ઞાતા તથા ઉચ્ચકક્ષાનાં વિદ્વાન છે. જેનાં પ્રભાવથી મહાનમાં મહાન અને સુક્ષ્મથી સુક્ષ્મ રૂપ ધરી શકે છે. આ હકિકત તેનાં ચરિત્ર પરથી સિદ્ધ થાય છે. - લંકા જતાં સમયે તેમનાં વિશાળકાય રૂપ ધારણ કર્યું અને સો યોજનનાં સમુદ્રને લાંઘ્યો.. લંકાનગરીમાં પ્રવેશ સમયે મચ્છરનાં રૂપમાં સુક્ષ્મ રૂપ ધરી અંદર પ્રવેશ્યા. અક્ષયકુમારનો વધ કરવો. રાવણને મૂર્છિત કરવા. સંજીવની જડીબુટ્ટી સૂર્યોદય પહેલાં દ્રોણગીરી ઉખાડી-ઉપાડી લઇ આવો.. આ બધી ઘટનાઓ તેમનાં બાહુબળ અને આત્મબળ, નિઃરંકારી ભાવ દર્શાવે છે. શ્રી રામચંદ્રજીનાં અશ્વમેઘ યજ્ઞના અશ્વની રક્ષા કાજે રામ વીરમણીનાં બંને પુત્રોનો રથસહિત પૂંછમાં બાંધી પૃથ્વી પર પટકે છે. શિવજીનાં ત્રિશુલને તોડી પાડે છે અને પોતાની પૂંછમાં બાંધીને મારવા લાગે છે. વીરભદ્ર દ્વારા મરાયેલા પુષ્કલને દ્રોણ પર્વત પરથી સંજીવની લાવીને જીવીત કરવા વગેરે શ્રી હનુમાનજીનાં વીરતાભર્યા કાર્યોનાં વર્ણનો પદ્મપુરાણનાં પાતાલકાંડ માં મળી આવે છે. - 

No comments:

Post a Comment